પદયાત્રા અને સાયકલ યાત્રા

વર્તમાન સમયમાં માનવીનું જીવન સાધનોના અતિશય ઉપયોગથી બંધિત અને કારણ વગરનું ઉતાવળિયું બન્યું છે. સતત દોડયા પછી પણ ક્યાં પહોચવું છે તેની ખબર નથી. આવા સમયે સહિયારો સર્વોદય ટ્રસ્ટ દ્વારા દરવર્ષે ભાઇબીજના દિવસેથી પાંચ દિવસીય સાઇકલ યાત્રાનું આયોજન થાય છે જેનો હેતુ લોકજાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યકત કરવી તથા જીવનની ઝડપને ઓછી કરી પ્રકૃતિ સાથે તાલ મિલાવવાનો હોય છે.